– ઝઘડિયા હનુમાનજી મંદિરેથી નીકળેલ રથયાત્રા નગરમાં ફરીને લાડવાવડ મંદિરે પહોંચી સંપન્ન થઈ
(જયશીલ પટેલ,ઝઘડીયા)
આજે અષાઢી બીજનો અવસર એટલે ભગવાન જગન્નાથની નગરચર્યાનો દિવસ.અષાઢી બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ.અષાઢી બીજના દિવસે ગુજરાત સહિત દેશભરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળે છે.ભરૂચ જીલ્લાના તાલુકા મથક ઝઘડિયા ખાતે આજરોજ રથયાત્રા નીકળી હતી.જે હનુમાનજી મંદિરેથી નીકળીને નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને લાડવાવડ મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી.ઝઘડિયા ખાતે ભગવાન જગન્નાથની નગરચર્યામાં નગરજનો ભક્તિભાવથી જોડાયા હતા. રથયાત્રાના અવસરે ઝઘડિયા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો.અષાઢ સુદ બીજ (અષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો દિવસ. કંસના તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા.આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે અને આ દિવસે અમદાવાદ, જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રા નિકળે છે.અમદાવાદમાં નિકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાય છે,જ્યારે ઓરીસ્સામાં જગન્નાથ (શ્રી કૃષ્ણ), બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં બિરાજમાન કરી પુરીના ગુડીયા મંદિરે લવાય છે.આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે.ઝઘડિયા નગર ખાતે રથયાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is