– નગરમાં પણ કેટલાક વિસ્તારોમાં પણ આજ હાલત છે
– વિજ કંપનીના જવાબદાર અધિકારીઓ આ બાબતે તાત્કાલિક દયાન આપે તે જરૂરી છે
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ નગર સહિત પંથક ભરમાં જીઈબી વિભાગ થકી વિજ પુરવઠો પહોંચાડવા માટે વર્ષો પહેલા વિજ પોલ ઉભા કરીને સાદા એલ્યુમિનિયમના વાયરો બે વિજ પોલ વચ્ચે ત્રણ જેટલા લગાવવામાં આવતા હતા.
બાદમાં જીઈબીનું વીજ કંપનીમાં રૂપાંતર થતા વિજ ચોરી અટકાવ તેમજ છાશ વારે વિજ પુરવઠોના ખોરવાઈ તે માટે દક્ષિણ ગુજરાત વિજ કંપની થકી નગર સહિત પંથક ભરમાં એબીસી એલટી વાયરો નાંખવામાં આવ્યા છે.જે વાયરો ઝાડા દોરડા જેવા હોવાના કારણે બે વિજ પોલ વચ્ચે અંતર વધુ હોવાના કારણે નીચે સુધી ઝુલી પડેલા કેટલાક વિસ્તારોમાં નજરે પડી રહ્યા છે.જેને કારણે જેતે વિસ્તાર માંથી મોટાભારદારી કે નાના વાહનો લઈ જવા માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. નીચે ઝુલી પડેલા આ વિજ વાયરોને લઈ ને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.નેત્રંગના ભાટા કંપની ફળીયાથી લઈને ફોકડી ગામના હનુમાન ફળીયા વિસ્તારમા આ વિજ વાયરો એકદમ નીચે સુધી ઝુલી રહ્યા છે. જ્યારે નેત્રંગ નગરના કેટલાક વિસ્તારોમાં પણ બે વિજ પોલ વચ્ચે આ એબીસી એલટી વાયરો નીચે ઝુલતા નજરે પડી રહ્યા છે.કેટલી જગ્યાએ આ વિજ વાયરો ભારે વજન વાળા હોવાના કારણે વિજ પોલ એક તરફ નમી પડેલા પણ જોવા મળી રહ્યા છે.ત્યારે નેત્રંગ વિજ કંપનીના નાયબ કાર્યપાલક ઈજનેર ત્રિવેદી આ બાબતને દયાન પર લઈને તાત્કાલિક યોગ્ય નિરાકરણ નવા વિજ પોલો ઉભા કરાવીને લાવે તેવુ પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is