ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ : મુમતાઝ પટેલે પ્રચાર કરવાનો કર્યો ઈન્કાર કર્યો

SHARE:

– સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી કોંગ્રેસને એક થવા કરી ટકોર

– એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી : મુમતાઝ પટેલ

ભરૂચ,

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલએ પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલએ પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે મુમતાઝ પટેલએ પાર્ટીની આંતરિક સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટમાં તેમણે ભરૂચ કોંગ્રેસમાં એકતા ન હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

મુમતાઝ પટેલે લખ્યું છે કે તેમને પ્રચાર માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે,પરંતુ પાર્ટીમાં એકજુટતા ન હોવાને કારણે તે પ્રચારનો કોઈ અર્થ નથી.તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો સૌપ્રથમ પાર્ટીને મજબૂત અને એકજુટ બનાવવી જરૂરી છે.તેમના આ નિવેદનથી સ્થાનિક કોંગ્રેસમાં આંતરિક મતભેદ હોવાના સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પહેલા આવી ટિપ્પણીઓ પાર્ટીના સંગઠન પર પ્રશ્નો ઊભા કરે છે.રાજકીય વિશ્લેષકોના મતે,આ પ્રકારના નિવેદનો ચૂંટણી પર અસર કરી શકે છે,કારણ કે આંતરિક વિખવાદ મતદારોમાં નકારાત્મક સંદેશ પહોંચાડી શકે છે.

હાલ આ મુદ્દે અન્ય સ્થાનિક કોંગ્રેસ નેતાઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.જોકે આ પ્રકારની પોસ્ટ થી ભરૂચ જીલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!