(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝધડિયા પીઆઈ કે.વી.લાકોડની ઉપસ્થિતિમાં ફુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
હાલમાં ચાલતા ગણેશ મહોત્સવ અને આગામી આવતા ઈદ-એ-મિલાદ પર્વના તહેવારના અનુલક્ષી ફુટ પેટ્રોલીગ કરવામાં આવ્યુ હતુ. ઝધડિયા ખાતે પોલીસ વિભાગ દ્વારા આગામી તહેવાર અનુલક્ષીને કુટ પેટ્રોલીગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઝઘડિયા પીઆઈ કે.વી.લાકોડની ઉપસ્થિતિમાં યોજાયેલ ફુટ પેટ્રોલીગમાં ઝધડિયા પોલીસ સ્ટાફ જોડાયો હતો.ગ્રામજનોએ કુતુહલ પૂર્વક પોલીસની પેટ્રોલીગને નિહાળી હતી.
આ પ્રસંગે ઝધડિયા પીઆઈ કે.વી.લાકોડે જણાવ્યુ હતુ કે ગ્રામજનોને આગામી ગણેશ મહોત્સવ અને ઈદે મુલદના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે નાગરીક એ સહયોગ આપવો જોઈએ અને કાયદો હાથમાં નઈ લઈ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં કરવા જણાવ્યું હતુ.




