કે.વી.કે વઘઈ દ્વારા મિલેટ પાકો માંથી બનતી વાનગીઓ પર વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું

SHARE:

વઘઈ,
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.હેમંત શર્મા અને કે.વી.કે વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.જે.બી.ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વી.કે વઘઈ દ્વારા ડાંગ જીલ્લાના વઘઈ તાલુકાના બાજ ગામ ખાતે “મિલેટ પાકો માંથી બનતી વાનગીઓ” (Preparation of Value Added Products from Small Millets) અંગેની ૫ દિવસીય વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમ (Vocational training) નું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ગૌરાંગ બી. પડસાળા વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) એ હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓથી મહિલાઓ દ્વારા ગ્રામ્ય સ્તરે રોજગારીની તકોનું નિર્માણ,હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓના વેચાણની રીત અને તેનો મહત્તમ ભાવ લેવાની પદ્ધતિ અંગે વ્યાખ્યાયન (Lecture) આપ્યું હતું.તેમજ નાગલીની પાપડી, બિસ્કિટ તેમજ સેવ બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી.હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓનો ફિલ્મ શો પણ બતાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના અંતિમ ભાગમાં તમામ મહિલાઓએ હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓ તેનું વેચાણ કરી આર્થિક રીતે સક્ષમ થવા સંકલ્પ લીધો હતો.સદર કાર્યક્રમમાં ૨૭ જેટલી મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!