ઝઘડિયાના ઉમલ્લા વિભાગમાં ખેતી વિષયક નિયમિત આઠ કલાક વીજળી આપવા ખેડૂતોની માંગ

SHARE:

– ૧૦૦ થી વધુ ખેડૂતોએ રાજપારડી ડી.જી.વી.સી.એલ કચેરી પહોંચી સમસ્યા જણાવી : ટુંક સમયમાં સમારકામ કરી વીજળી નિયમિત કરવા બાંહેધરી અપાઈ 

 (જયશીલ પટેલ, ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકાના ઉમલ્લા તેમજ આસપાસના ગામોના ૧૦૦ થી વધુ ખેડૂતોએ રાજપારડી ડી.જી.વી.સી.એલ.ની કચેરીએ ખાતે આવેદન પત્ર આપી અને મૌખિક રજુઆત કરી પોતાની રજુઆત કરી હતી ઉપસ્થિત ૧૦૦‌ થી વધુ ખેડૂતોએ પોતાના આવેદનમાં જણાવ્યું હતું કે ઉમલ્લા અને આસપાસના ગામોમાં ખેતી વિષયક વીજ પુરવઠો ઢૂંઢા ફીડર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે આ ઢૂંઢા ફીડરમાં વીજળી નિયમિતપણે મળતી નથી, આઠ કલાકના સમય દરમિયાન બે કલાક પણ નિયમિત વીજળી મળતી નથી વીજળી વગર ખેતરોમાં પાણી નહિ પહોંચતા ખેડૂતોના પાક આકરી ગરમીમાં બળી જવાની અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ આવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે જાંબોઈ ફીડર દ્વારા સિંગલ ફેઈઝ ચોવીસ કલાક વીજળી આપવામાં આવે છે તો ઢૂંઢા ફીડરમાં વીજળી નિયમિત કેમ આપવામાં નથી આવતી તેવો પ્રશ્ન કર્યો હતો.વધુમાં જણાવ્યા મુજબ ઢૂંઢા ફીડર વિસ્તારમાં કર્મચારીની ઘટ હોઇ સમારકામ દરમિયાન ખુબજ સમય વેડફાતો હોઈ કર્મચારી વધુ મુકવા માંગ કરી હતી.રાજપારડી ડી.જી.વી.સી.એલની કચેરીના મુખ્ય અધિકારીએ ખેડૂતોને આવકાર આપી હાજર ખેડૂતોની રજુઆત ધ્યાન પૂર્વક સાંભળી ટૂંક સમયમાં ખામી સર્જાતા ફીડરનું સમારકામ કરવાની બાંહેધરી આપી હતી અને તાત્કાલિક ઢૂંઢા ફીડર વિસ્તારમાં અવારનવાર કેમ ફોલ્ટ સર્જાયછે તે બાબતની ચકાસણી કરવા વીજ કર્મીઓની ટીમને જણાવ્યું હતું ખેડૂતોની સમસ્યા બાબતે અધિકારીએ ઘટતું કરવા બાંહેધરી આપતા ખેડૂતોએ અધિકારીનો આભાર માન્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!