તિલકવાડાના વંઢ ગામના યુવક નર્મદા નદી કિનારે ભેખડ ઉપર થી પડી જતા થયું મોત

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા) 

તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા  મોડી સાંજના સમયે તિલકવાડા તાલુકાના વંઢ ગામે થી કોઈ કારણો સર ભરતભાઈ રમણભાઈ તડવીને તિલકવાડા પોલીસ મથકે લાવ્યા હતા.પરંતુ આ દરમ્યાન પોલીસ સ્ટેશન ના પાછળના ભાગે નર્મદા નદીના કિનારે ભેખડ ઉપરથી નીચે પડી જતા ભરતભાઈ તડવીને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ શરીરના ભાગે ઈજાઓ થતા ભરતભાઈ તડવીનુ મોત થયું હોવાની દુઃખદ ઘટના બની હતી.

જો કે આ ઘટનાને પગલે એસ ડી એમ નર્મદા તથા કેવડિયા વિભાગ ના DYSP સંજય શર્મા તેમજ SOG LCB તેમજ તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર દોડી આવ્યા હતા સાથે જ સામાજિક આગેવાનો પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અચાનક આ ઘટના બનતા વંઢ ગામ ના ગ્રામ જનો પણ તિલકવાડા નદી કિનારે ઉમટી પડ્યા હતા અને ભારે નારાજગી વ્યકત કરી હતી અચાનક આવી દુઃખદ ઘટના બનતા વંઢ ગામ ના ગ્રામજનો અને મૃતક ના પરિવાર માં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ ઘટના માં દોષિતો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી જો કે આ દુઃખદ ઘટના બનતા એસ. ડી. એમ. નર્મદા ની હાજરી માં પંચનામું કરવામાં આવ્યું હતું અને મૃતદેહ ને તિલકવાડા હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો અને પોલીસ મથકે આ ઘટના બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!