(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદાના કેવડિયાના રહેવાસી ગણપત શંકર તડવી ગોરા પુલ નજીક આવેલ હાઈટેશન લાઈન પર ચડી ગયો હતો.
ટૂંકા ગાળામાં ટાવર પર ચઢીને વિરોધ કરવાની અસરગ્રસ્તની આ બીજી ઘટના બની હતી.આજે એકતા નગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી ગોરા પુલ પાસે આ ઘટના બની હતી.જેને કારણે તંત્ર હરકતમાં આવી ગયું હતું. અને તરત જ ત્યા પોલીસ મુકાઈ ગઈ હતી.
આજે આ અસરગ્રસ્ત ગણપત તડવી પોતાની માંગણીઓને લઈને વિરોધ કરવા માટે ચડી ગયો હતો.ગણપત તડવીની માંગણીઓ છે કે પુરે પૂરું વળતર અને જમીન ના બદલા માં જમીન આપી નથી જેનો વિરોધ કરી રહ્યા છે.જોકે ગણપત તડવીને સમજાવવા માટે એસ ડી એમ અને એકતા નગરના પી આઈ સ્થળ પર પોહોંચી ગયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is