(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
પાવીજેતપુર તાલુકાના કરાલી ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત અને સાઢલી ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
પાવીજેતપુર વિધાનસભા મત વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પાવીજેતપુર તાલુકાના સાઢલી ગામે રૂ.૧.૧૧ કરોડના ખર્ચે તૈયાર થયેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તેમજ રૂ.૧.૮ કરોડના ખર્ચે તૈયાર થનાર શાળાના ૬ ઓરડાનું ખાતમૂહુર્ત કર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈએ જણાવ્યું કે, શિક્ષણ એ બાળકના ઘડતરનો પાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર બાળકોને શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ પૂરું પાડવા કટિબદ્ધ છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માનવું છે કે દેશના દરેક બાળકને સારું સિક્ષણ મળવું જોઈએ.તેઓ જયારે રાજ્યના મુખ્યપ્રધાન હતા ત્યારે નાની દીકરીઓને આંગળી પકડીને શાળામાં પ્રવેશ ઉત્સવ શરૂ કરાવ્યો હતો.
આ તકે પાવીજેતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા, તાલુકા શિક્ષણ અધિકારી કૃષ્ણકાંતભાઈ, તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ નરેન્દ્રભાઈ, ગામના સરપંચ તેમજ આગેવાનો અને શિક્ષકગણ, વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is