ભરૂચમાં વોટ ચોરીના આક્ષેપ સાથે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ અટકાયત

SHARE:

– સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ : પોલીસ ખેંચતાણ વચ્ચે ૩૦ થી વધુ કોંગી અગ્રણીઓની અટકાયત
ભરૂચ,
ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાન યાદીમાં ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતીના આક્ષેપોને લઈને ભરૂચ ખાતે ધરણા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતી.પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જતા કોંગીજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વોટ ચોર ગાદી છોડ અંતગર્ત ધરણા કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક આવેલી ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધરણા પર બેઠા હતા.કોંગ્રેસી કાર્યકરોએ “વોટ ચોર ગાદી છોડ”, “ચૂંટણીમાં ગેરરીતી બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવત્તા વાતાવરણ ગરમાયું હતું.આ ધરણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ કર્યું હતું.સાથે યુથ કોંગ્રેસના પૂર્વ જીલ્લા પ્રમુખ શેરખાન પઠાણ,શહેર પ્રમુખ સલીમ અમદાવાદી,યુથ કોંગ્રેસ પ્રમુખ શકિલ અકુજી, પાલિકા વિપક્ષના નેતા સંમસાદ અલી સૈયદ,નાઝુ ફડવાળા,ઝુબેર પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો તેમાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ શરૂ થતા થોડા સમયમાં જ પોલીસે સ્થળ પર પહોંચી ધરણાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસે વચ્ચે ધક્કામુક્કી અને ખેંચતાણ જેવા દ્રશ્યો સર્જાયા હતા.પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથધરી હતી અને જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના ૩૦ થી વધુ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતી કરી રહ્યો છે.શાંતિ પૂર્ણ રીતે ધરણા કરવાંમાં આવી રહ્યા હતા.ત્યારે પોલીસે જોહુકમી કરી ડીટેન કર્યા છે સરકારને ડિસમિસ કરવાની પણ માંગ કરી આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!