best news portal development company in india

નર્મદા સાહિત્ય સંગમની શનિ સભા અને કવિ સંમેલન રાજપીપલા ખાતે યોજાયું

SHARE:

– વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સરસ્વતોનું સન્માન કરાયું

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા સાહિત્ય સંગમની  શનિસભા અને કવિ સંમેલન રાજપીપલા ખાતે અનિલભાઈ મકવાણાના નિવાસ સ્થાને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું.જેમાં પીટીસી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.વિમલ મકવાણા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સામાન્ય સભામાં ફેબ્રુઆરી માસમાં ગઝલ લેખન પરિસંવાદ,વડોદરા,નર્મદા અને સુરત,તાપી જિલ્લાના કવિઓનું કવિ સંમેલન યોજવા બાબત તેમજ માતૃભાષા દિવસની ઉજવણી કરવા અંગે આયોજન ચર્ચા હાથ ધરાઈ હતી.

આ પ્રસંગે સમાજમાં વિશિષ્ઠ સિદ્ધિ મેળવનાર નર્મદા સાહિત્ય સંગમના સરસ્વતોનું સન્માન કરાયું હતું. જેમાં (૧) પ્રિન્સિપાલ, આર એમ કોમર્સ કોલેજ, રાજપીપલા રાષ્ટ્રીય સેવા યોજના એન એસ એસ વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા રાજપીપલા કોમર્સ કોલેજને શ્રેષ્ઠ એન એસ એસ કોલેજનો વર્ષ ૨૦૨૩-૨૦૨૪ નાં વર્ષ માટે એવોર્ડ એનાયત થવા બદલ ડૉ.હિતેશ ગાંધી (૨) મારી શાળા પ્લાસ્ટિક મુકત શાળા અંતર્ગત પ્રાથમિક ગૃપ શાળા બોરીદ્રા નકામી પ્લાસ્ટિકની ૧૦૧૬ બોટલ અને પ્લાસ્ટિક પડીકા એકત્ર કરી ને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડ માં નામ નોંધાવવા બદલ અને રાજ્યકક્ષાનાં શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલભાઈ મકવાણા (૩) નાંદોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક ૨૦૨૪ અને પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ ૨૦૨૨ મેળવા બાબતે દીપ્તિબેન જાગસર (૪) સાહિત્ય માંપીએચડી પૂર્ણ કરનાર, ટૂંક સમયમાં જેમને ડોક્ટરેટની પદવી મળવાની છે ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં જાણીતા ગઝલકાર તરીકે ઉભરી આવનાર નગીનભાઈ વણકર (૫) નર્મદા રત્ન એવોર્ડ મેળવનાર સાહિત્ય, શિક્ષણ અને વિજ્ઞાનની પ્રવૃતિઓ માટે અનેક એવોર્ડ મેળવનાર અને સાયન્સ ગ્રાફી વિજ્ઞાન માસીક નાં તંત્રી, વિજ્ઞાન લેખક દીપક જગતાપ તેમજ (૬) કલેકટર કચેરી નર્મદામાં જિલ્લા ચૂંટણી અધિકારી  અને નાયબ કલેકટરની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની ઉત્તમ કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોની આખી ટીમના નર્મદા સાહિત્ય સંગમના સદસ્યોં નમીતાબેન મકવાણા, અનિલભાઈ મકવાણા, સોનલબેન ચૌહાણઅને દીપ્તિબેન જાગસરનું પ્રમુખ તથા મહેમાનો દ્વારા પુષ્પગુચ્છ અર્પી સન્માન કરી નર્મદા સાહિત્ય સંગમનું ગૌરવ વધારવા બદલ સન્માન કરાયું હતું.

આ પ્રસંગે શનિ સભાના કવિ સંમેલનમાં દીપક જગતાપે ઝાકળ: ભીનાં મોતી વિષય ઉપર લલિત નિબંધનું પઠન કર્યું જયારે કવિ સંમેલનમાં હિતેશ ગાંધી, નગીનભાઈ વણકર,હરિવદન પાઠક, હિરાજ વસાવા, દીપક જગતાપ, ભરત પરમાર,ઝાહીર મન્સૂરી, અનિલભાઈ મકવાણા, નમીતા. મકવાણા, સાવિત્રી મકવાણા, નસીહા પઠાણ, સોનલ પંચાલ , દીપ્તિબેન જાગસર, સોનલ ચૌધરી,લાલસીંગ વસાવા,ભાવિકા પટેલ,આયુષી પાઠક અને ઓમક્રિસ મકવાણાએ રેપ સોન્ગ દ્વારા સુંદર કાવ્યની રજુઆત કરી હતી.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!