best news portal development company in india

નેત્રંગના મોટાં જાંબુડા ગામની ક્રિષ્ના ભગતે PHD મેળવી આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું

SHARE:

ભરૂચ,

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મોટાં જાંબુડા ગામના વતની ક્રિષ્નાબેન મહેશભાઈ ભગતએ PH.D. (પી.એચ.ડીની પદવી) પ્રાપ્ત કરી સમાજ અને વિસ્તારનું નામ રોશન કર્યું છે.હરિજનબંધુના સાપ્તાહિક ઈતિહાસ લેખનના સ્ત્રોત તરીકે તેમણે મહાશોધ નિબંધ તૈયાર કરી ઐતિહાસિક અધ્યયન અને અસ્પૃશ્યતા માટેની લડતને સમાજમાં જાગૃતિ આવે તે અંગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

ક્રિષ્નાબેન મહેશભાઈ ભગત એ ઈ.સ.૧૯૩૩ થી ૧૯૫૬ વચ્ચેના સમયગાળા પર આધારિત મહાશોધ નિબંધ તૈયાર કર્યો જે સમાજને સચેત કરવાના પ્રયાસ તરીકે ગણાય છે.

મૂળભૂત ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના ક્રિષ્ના ભગતે ગુજરાત વિદ્યાપીઠમાં ડૉ.ઝેનામાબીબી કાદરીના માર્ગદર્શન હેઠળ ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, સામાજિક વિજ્ઞાન વિદ્યાશાખામાં PH.D અભ્યાસ પૂર્ણ કર્યો.PH.D માટેના તેમને રજૂ કરેલા શોધ નિબંધને સ્વીકારીને વિદ્વત્તાની પદવી અપાઈ.

અથાગ મહેનત અને પરિશ્રમથી નાનકડા ગામથી ઊભરી પોતાની અથાગ મહેનતથી તેઓએ સિદ્ધિ હાંસલ કરીને ગામનું ગૌરવ વધાર્યું છે.ક્રિષ્ના ભગતે ડૉ.ની પદવી પ્રાપ્ત કરીને તેમના શાળા,પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!