best news portal development company in india

રકતપિત્ત જનજાગૃતિ અભિયાન અંતર્ગત કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જીલ્લા લેપ્રસી કો-ઓડીનેશન કમિટીની બેઠક મળી

SHARE:

– ભરૂચ જીલ્લામાં રકતપિત્ત જનજાગૃતિ અર્થે ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન

ભરૂચ,

૩૦/૦૧/૨૦૨૫ પૂજ્ય બાપુનાં પુણ્યતિથિનાં દિવસે ‘એન્ટી લેપ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે જેના અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન’ અભિયાન હેઠળ જીલ્લામાં ૩૦ જાન્યુઆરીના રોજ એન્ટી લેપ્રસી ડે’નું ઉદ્ઘાટન અને ત્યાર પછીના પખવાડીયામાં રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવનાર છે.આ બાબતે જીલ્લા કલેક્ટર કચેરી ખાતે જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જીલ્લા લેપ્રસી કો- ઓડીનેશન કમિટીની તા.૨૮/૦૧/૨૦૨૫ના રોજ બેઠક મળી હતી. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પણ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ભરૂચ જીલ્લામાં રક્તપિત્ત જનજાગૃતિ અર્થે તા.૩૦ જાન્યુ.થી ૧૩ ફેબ્રુ.દરમ્યાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન”નો શુભારંભ થશે, ત્યારે ૧૫ દિવસના આ કેમ્પેઇનનો માઈક્રોપ્લાન, જીલ્લા, તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ્યકક્ષાએ જન જગૃત્તિ અભિયાન થકી લોકોમાં જાગૃત્તિ આવે તે પ્રકારે પ્રયાસો હાથ ધરવા બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ પુરૂં પાડ્યું હતું આ ઉપરાંત રક્તપિત નિર્મૂલન માટે સઘન ઝુંબેશ હાથ ધરવા જણાવ્યું હતું

ડિસ્ટ્રીકટ લેપ્રસી ઓફિસરે જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં ‘રાષ્ટ્રીય રકતપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ‘સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન- તા.૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી યોજાનાર છે જેમાં તા.૩૦/૦૧/૨૦૨૫ ના રોજ ભરૂચ જીલ્લાના ગામોમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે.આ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન દરમ્યાન તા. ૩૦/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૨/૨૫ સુધી ભરૂચ જીલ્લાના તમામ તાલુકાઓના સા.આ.કેંદ્રી, પ્રા.આ.કેન્દ્રો તથા તમામ શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રકતપિત્ત નિર્મૂલન પ્રતિજ્ઞા, જીલ્લા કલેક્ટરના સંદેશ, ગામના સરપંચશ્રીના સંદેશ અને રક્તપિત્ત વિશે જાણાકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખું રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાડા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોય શકે છે.રકતપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ, સા.આ.કેંદ્રો, અને પ્રા.આ.કેંદ્રો ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે અને દર્દીઓને આપવામાં આવે છે. લેપ્રસી એ જંતુજન્ય રોગ છે કોઇ પૂર્વ-જન્મનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ/અપંગતા અટકાવી શકાય છે.એમ ડિસ્ટ્રીકટ લેપ્રસી ઓફિસરે જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!