(ભાવેશ પંડયા,ભાલોદ)
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા નદી કિનારે આવેલા ગાયત્રી મંદિરે તેમજ સમસ્ત ભાલોદ ગામ દ્રારા વર્ષો થી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ વર્ષે પણ તારીખ ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેમાં એક દિવસ ના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.નર્મદા જયંતીના પાવન અવસર સવારે ૯:૩૦ કલાકે મા નર્મદા માતાજીની શોભાયાત્રા બજારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરેથી પ્રસ્થાન કરશે તેમજ ગામમાં ભ્રમણ કરી ગાયત્રી મંદિરે પહોંચશે જ્યાં બપોરે ૧૨ કલાકે મહાઆરતી યોજાશે.ત્યાર બાદ ભક્તજનો માટે મહાપ્રસાદીનુ આયોજન.કરવામાં આવ્યુ છે અને સાંજે સંધ્યા સમયે દર વર્ષની પરંપરા મુજબ નર્મદા કિનારે નર્મદા પૂજન,દીપદાન તથા માતાજીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી ચૂંદડી અર્પણ કરવામાં આવશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is