best news portal development company in india

કલેકટર નર્મદાએ ફરમાન કર્યું : નર્મદા નદીમાં મગરો હોવાથી ભક્તો નર્મદા સ્નાન નહીં કરી શકે!

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ૨૯ માર્ચથી શરૂ થવા જઈ રહી છે પરિક્રમાને ગણતરીનાં દિવસો બાકી છે.ત્યારે નર્મદા પરિક્રમા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ વખતે ગુજરાત, મહારાષ્ટ્ર્ર માધ્યપ્રદેશનાં ૩૦ થી ૪૦ લાખ ભક્તો પરિક્રમા કરવા ઉમટે એવી શક્યતા છે.જોકે એ માટે તંત્રએ સુંદર વ્યવસ્થા કરી છે.૨.૬૦ કરોડનાં ખર્ચ નવો બ્રિજ બનાવવા જઈ રહ્યો છે.પરિક્રમાના માર્ગ પર ચાર ઘાટ પર ભાવિકો નર્મદા સ્નાન કરતાનાનપ અનુભવતા હોય છે.ત્યાં સ્પ્રિંકલ મુકવાનું અને વૉશરૂમનું આયોજનવહીવટી તંત્ર દ્વારા કરવામા આવ્યુ છે.
પણ કલેકટર નર્મદાએ નર્મદા નદીમાં માં મગરો અને અને હાલમાર્ચથી જુન સુધીનો મગર ઈંડા મુકવાનો સમય ચાલી રહ્યો હોવાથી ભક્તો નર્મદા સ્નાન નર્મદા નદીમાં કરી શકશે નહીં એમ જણાવી નર્મદા સ્નાન પર પ્રતિબંધ ફરમાવી દેતા ભક્તોમાં ભારે નારાજગી ફેલાઈ છે.નર્મદા સ્નાન પર પ્રતિબંધ ફરમાવતા.શ્રદ્ધાળુંઓમાં ભારે રોષ ફાટી નીકળ્યોછે.તંત્ર નાં જણાવ્યા અનુસાર નદીના ઓવારા પાસેની બખોલમાં ઇંડા મુકતા હોય છે.આથી સ્નાન કરવા જનાર પર મગરનો હુમલો થઈ શકે છે.આથી નર્મદા સ્નાન પર પ્રતિબંધ ફરમાયો હોવાનુ તંત્ર ગાણુ ગાઈ રહ્યુ છે.જયારે પાણી અને નાસ્તાની સુવિધા કરતી સ્વૈચ્છીક સંસ્થાઓ અને સ્વયંસેવકોમાં પણ ભારે નારાજગી પ્રવર્તી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ મહાકુંભમાં ૮૦ કરોડ ભાવિકોએ નિર્ભય રીતે સ્નાન કર્યુ હતુ.ગંગાજીમાં સ્નાન આ માટે તંત્રએ સુંદર વ્યવસ્થા ઉભી કરી હતી.જોકે તેના પરથી બોધપાઠ લઇને ભાવિકોના સ્નાન માટે અહીં પણ આવી નિર્ભય વ્યવસ્થા કરવી જોઇતી હતી.પરંતુ તંત્રએ મગરનો ભય બતાવીને હથીયાર હેઠા મુકીને નર્મદા સ્નાન પર પ્રતિબંધ મૂકીને લાખો શ્રદ્ધાળુંઓની શ્રદ્ધા અને ધાર્મિક લાગણી દુભાવી છે.અહીં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ છે દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળુંઓ. નર્મદા સ્નાન કરતા આવ્યા છે આજદિન સુધી મગરે હુમલો કર્યો હોય એવો આજદિન સુધી કોઈ બનાવ બન્યો નથી ત્યારે તંત્રએ જાળી વાળી બોર્ડર બનાવી સ્નાન માટે કર્ટન પડદા બનાવી સેફ બાથરૂમ બનાવી ન્હાવાની વ્યવસ્થા કરી જ શકાય અન્ય વૈકલ્પીક વ્યવસ્થા પણ કરી શકાય.જેનાં દર્શનમાત્રથી પવિત્ર થવાય એવી માં નર્મદાની પરિક્રમા સાથે ભક્તો નર્મદા સ્નાન ન કરે તો પરિક્રમા અધૂરી જ કહેવાય. આમ જો પ્રતિબંધ નહીં હટાવાય તો લાખો શ્રદ્ધાળુંઓ ને નર્મદા સ્નાન કર્યા વગર જ પરત ફરવું પડશે.જ્યા શ્રદ્ધા હોય ત્યા જડ વલણથી શ્રદ્ધાળુંઓની લાગણી દુભાય તેં પહેલા તંત્ર ભક્તોમાટે સલામત નર્મદા સ્નાનની વ્યવસ્થા કરાય એવી ભક્તોની લાગણી સંતોષવાનો સમય આવી ગયો છે.હવે એ જોવું રહ્યું કે તંત્ર આગળ શું કરે છે?

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!