(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે એએસપી અજય કુમાર મીણા નાઓના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઈન્સ્પેક્શન તેમજ લોક દરબાર યોજાયો હતો.જેમાં ઉમલ્લા પોલીસ મથક વિસ્તારમાં આવતા ગામોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લોક દરબારમાં ઉપસ્થિત લોકો એ પોલીસ અધિકારી ને ઉમલ્લા મેન બજારમાં ટ્રાફિક ની સમસ્યાના નિવારણની વાત કરી હતી. ઉપસ્થિત પોલીસ અધિકારી દ્વારા રજુઆત ધ્યાનમાં રાખી ટ્રાફિક ની સમસ્યાનું વેહલી તકે નિરાકરણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ અને વધુમાં જણાવ્યું હતું કે પોલીસ તમારા માટે છે તો કોઈપણ સંકોચ વિના કોઈપણ વ્યક્તિ કોઈપણ સમયે પોલીસનો સંપર્ક કરી શકે છે આ સિવાય ટ્રાફિક અવરનેશ ની વાત કરી બાઇક ચાલકો ને હેલ્મેટ પહેરવાની તાકીદ કરી અને ટ્રાફિક નિયમો નુ પાલન કરવા એએસપી અજય કુમાર મીણા દ્વારા જાણવામાં આવ્યું હતું.સાયબર ક્રાઇમ વિશે પણ વિશેષ માહિતી આપી હતી.







