– રેલ્વેના ઈજારદારે ખાણ ખનીજની પરવાનગી લીધા પહેલાં જ ખોદકામ કર્યું
આમોદ,
આમોદ તાલુકાના સમની ગામે સમની-જંબુસર વચ્ચે બનતી રેલવે લાઈનનું કામ ચાલી રહ્યું છે.જેથી રેલવેના ઈજારદાર દ્વારા સમની ગામે વિવિધ મશીનરી દ્વારા માટી ખોદકામ કરવામાં આવી રહ્યુ હતુ.પરંતુ આસપાસના ખેડુતોની મંજૂરી લીધા વગર જ માટી ખનન કરવામાં આવવા વિવાદ સર્જાયો હતો.
આમોદ – જંબુસર વચ્ચે નંખાતી રેલ્વે લાઈન માટે હજારો મેટ્રિક ટન માટીની જરૂરીયાત પડતી હોય છે.જે બાબતે રેલવે દ્વારા હિટાચી મશીનથી માટી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું.પરંતુ આજુબાજુના ખેડુતોની મંજૂરી વગર ખોદકામ થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.રેલ્વેના ઈજારદાર દ્વારા ૧૦ મી એપ્રિલના રોજથી જ માટી ખોદકામ કરવામાં આવ્યુ હતું.પરંતુ રેલ્વેના ઈજારદાર પાસે ૧૧ એપ્રિલના ભરૂચ ભૂસ્તર વિભાગની પરવાનગી હતી.જેથી ભરૂચના ભૂસ્તર વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહયાં છે.આ બાબતે ખેડૂતોએ આમોદ મામલતદારનો સંપર્ક કરતાં મામલતદારે જણાવ્યુ હતુ કે હું કંઈ જાણતો નથી.ખેડૂતોએ મંજૂરી વગર માટી ખનન થતું અટકાવવા જણાવ્યુ હતુ.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is