best news portal development company in india

જેતપુરપાવી તાલુકાનાં બોરઘા ગામે “તું મારી મમ્મી ને કેમ માર મારે છે” તેમ કહી પુત્ર એજ પિતાની કરી હત્યા

SHARE:

– હત્યા કર્યા બાદ પુત્ર તેના સાગરીત સાથે ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા

(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)

છોટાઉદેપુર જિલ્લામાં કળયુગી પુત્ર એ પોતાના જ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.”મારી મમ્મી ને કેમ માર મારે છે” તેમ જણાવી માથા અને પગ માં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પિતાનું ઘટના સ્થળેજ  મોત નીપજ્યું હતું.

આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી વિગતો મુજબ તા.૧૧ મીના રોજ પાવીજેતપુર તાલુકાના બોરધા ગામે રહેતા નગીનભાઈ બાબુભાઈ રાઠવાના ઘરે પુત્ર બનસિંગભાઈ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ રાઠવા પોતાની મોટરસાયકલ લઈ રાત્રીના સમયે જઈ એક બીજા સાથે ઝગડો – તકરાર કરી બાકાભાઈએ મૃતક નગીનભાઈ ને ધક્કો મારી નીચે જમીન પર પાડી ગળું પકડી રાખ્યું હતું અને પુત્ર બનસિંગએ લાકડા વડે પિતા નગીનભાઈ ને “મારી મમ્મી ને કેમ માર મારે છે” તેમ જણાવી માથા અને પગ માં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઘાયલ કરી ઘટના સ્થળેજ મોત નીપજાવ્યું હતું.

આ ઘટના સંદર્ભે રામસીંગભાઈ મંગળીયાભાઈ રાઠવા રહે.બોરધા તા.પાવીજેતપુર જી.છોટાઉદેપુરનાએ નગીનભાઈ બાબુભાઈ ઉર્ફે બાબુડીયાભાઈ રાઠવાનું મોત નીપજાવનાર બનસિંગભાઈ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ ઉર્ફે બકલાભાઈ બાબુભાઈ રાઠવા વિરુધ્ધ કરાલી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બી એન એસ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!