best news portal development company in india

ભારતીય ઔષધ નિર્માણ કંપનીના કીવ સ્થિત ગોડાઉન ઉપર રશિયાનો મિસાઇલ્સ દ્વારા હુમલો

SHARE:

કીવ: યુક્રેને રવિવારે કહ્યું હતું કે, રશિયન મિસાઇલે કીવમાં એક ભારતીય દવા કંપનીના ગોડાઉન ઉપર હુમલો કર્યો હતો. ભારતમાં યુક્રેનનાં દૂતાવાસે આક્ષેપ કર્યો હતો કે, રશિયાએ જાણી જોઈને ભારતીય કંપનીને નિશાન બનાવી છે.

ભારતીય ઔષધ નિર્માણ કંપની ‘કુસુમ ફાર્માસ્યુટિકલ્સ’ના ગોડાઉન ઉપર હુમલો કર્યો હતો. આ કંપની બાળકો અને વૃદ્ધો માટે દવાઓ બનાવે છે, તે નષ્ટ થઈ ગઈ છે. ભારતીય ઉદ્યોગપતિ રાજીવ ગુપ્તાની માલિકીની કુસુમ-ફાર્માસ્યુટિકલ્સ યુક્રેનની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈકીની એક છે. તેની દવાઓ યુક્રેન માટે મહત્વની છે. કારણ કે તે કંપની મૂળભૂત દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. આ સૂત્રોએ તેમ પણ કહ્યું હતું કે, તે હુમલો મિસાઇલ હુમલો ન હતો, પરંતુ ડ્રોન દ્વારા સીધો હુમલો કરવામાં આવ્યો હતો. આ માહિતી યુક્રેન સ્થિત, બ્રિટનના રાજદૂત માર્ટિન હેરિસે આપી હતી.

માર્ટિન હેરિસે ‘ટ’ પોસ્ટ પર લખ્યું, આજે સવારે રશિયન ડ્રોને કીવમાં એક મોટા દવા ગોડાઉનનો સંપૂર્ણ નાશ કરી નાખ્યો હતો. તે ગોડાઉનમાં વૃદ્ધો અને બાળકો માટેની અત્યંત જરૂરી દવાઓ હતી જે બળીને નાશ પામી છે. યુક્રેની નાગરિકો વિરૂદ્ધ રશિયાનું આતંક-અભિયાન ચાલુ જ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, યુક્રેન અને રશિયાએ ગયા મહિને જ એક-બીજાની ઊર્જા સુવિધાઓ ઉપર હુમલા નહીં કરવા સહમતી સાધી હતી. પરંતુ, હવે બંને તે સમજૂતી તોડવા માટે એકબીજા પર આક્ષેપ કરી રહ્યાં છે.

ભારતે આ યુદ્ધમાં કોઈનો પક્ષ લીધો નથી. બંનેને હિંસા-યુદ્ધ રોકવા અનુરોધ કર્યો છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!