– સંવિધાન વિરોધી પરિબળો દ્વારા સંવિધાનને ખતરો હોવાનું જણાવાયું
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી મધ્યપ્રદેશના મહુ સુધીની સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝઘડિયા તાલુકાના ફુલવાડી ગામના નફિશભાઇ નામના યુવાન દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.સંવિધાન બચાવો યાત્રા ઝઘડિયા ચાર રસ્તા ખાતે આવતા કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા અને અગ્રણીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધનરાજ વસાવાએ જણાવ્યું કે નફીશભાઇ સંવિધાનને બચાવવાના ઉદ્દેશ સાથે સંવિધાન બચાવો યાત્રા લઇને નીકળ્યા છે,અને તેમની આ યાત્રા સફળ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.ગતરોજ બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હતી તે દિવસથી અંકલેશ્વર ખાતેથી મધ્યપ્રદેશના મહુ સુધીની આ સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.ધનરાજ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે સંવિધાને અમને રક્ષણ પુરૂ પાડ્યું છે ત્યારે અમે પણ સંવિધાનને રક્ષણ પુરૂ પાડવા આગળ આવીશું. અને આ યાત્રામાં નફીશભાઇ એકલા નથી જેમજેમ યાત્રા આગળ વધતી જશે તેમતેમ વધુને વધુ લોકો તેમાં જોડાતા જશે એમ પણ જણાવ્યું હતું.આ પ્રસંગે નફીશભાઇએ જણાવ્યું હતું કે સંવિધાનથી દેશ ચાલે છે અને આજે સંવિધાનને દબાવવામાં આવી રહ્યું છે ત્યારે બાબાસાહેબ આંબેડકરનું સપનું પુર્ણ કરવા અમે સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કર્યું છે.આજે નોકરીઓ રોજગાર જેવી બાબતોએ જે અન્યાય થાય છે,અપમાન થાય છે તેને લઈને સંવિધાનને બચાવવાની જરૂર ઉભી થઇ છે અને તે માટે લોકોમાં સંવિધાન પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી આ સંવિધાન બચાવો યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is