(જયશીલ પટેલ,ઝઘડિયા)
ડમલાઈ લિગ્નાઈટ ખાણ પરિયોજના અંતર્ગત તારીખ ૨૪-૦૪-૨૦૨૫ ના રોજ યોજાનાર લોક સુનાવણી બાબતે અભિપ્રાય મેળવા માટે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પડવાણીયા ગામે પ્રાથમિક શાળામાં પરિસરમાં ખાસ ગ્રામસભાનું આયોજન પંચાયતના સરપંચ સીમાબેન વસાવા તેમજ તલાટી ક્રમ મંત્રી નાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગત ગ્રામસભાની કાર્યવાહી નોંધ વાચનમાં લઈ બહાલી આપવા બાબત તેમજ ડમલાઈ લિગ્નાઇટ ખાણ પરિયોજના અંતર્ગત તારીખ ૨૪-૦૪-૨૦૨૫ ના રોજ યોજાનાર લોક સુનાવણી બાબતે અભિપ્રાય મેળવા માટે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પડવાણીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ગામોના ગ્રામજનો એ ઉપસ્થિત રહી ગ્રામસભામાં પોતાનો અભિપ્રાય રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જીએમડીસી લિગ્નાઈટ પ્રોજેક્ટ સામે તેમજ જમીન સંપાદન બાબત એક સુર થઈ વિરોધ નોંધાવ્યો હતો.ગામ અગ્રણી કનુભાઈ વસાવા દ્વારા ઉપસ્થીત લોકોને લોક સુનાવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is