ભરૂચ,
સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યાભવનમાં ત્રણ દિવસીય પુસ્તક મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.પ્રવૃત્તિ દરમ્યાન ધોરણ ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટસેલર, ફિકશન,પ્રેરણાદાયક અને રસપ્રદ પુસ્તકો ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા.વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સ માંથી ઉમંગભર્યો પ્રતિસાદ મળ્યો હતો.વિશાળ સંખ્યામાં પુસ્તકો ખરીદવામાં આવ્યા હતા.જેનાથી વાચન પ્રત્યેની રસભરી લાગણી દેખાઈ આવી.વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પુસ્તકો પસંદ કરતા નજરે પડ્યા અને ઘણા વિદ્યાર્થીઓએ પોતાનું મનગમતું પુસ્તક ખરીદી વાંચવાનું નક્કી કર્યું હતું.શિક્ષકો અને પેરેન્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય પુસ્તકો પસંદ કરવામાં માર્ગદર્શન અપાયું હતું.પુસ્તક મેળો દ્વારા શાળામાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું અને સમગ્ર શાળાએ એક યાદગાર અનુભવનો આનંદ માણ્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is