ભરૂચ,
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી લઈ જ્યોતિનગર સુધીના મુખ્યમાર્ગને અડીને આવેલા લારી ગલ્લાના દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા.તો અમુક ગલ્લાને તંત્ર દ્વારા દૂર નહીં કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
હાલ ભરૂચ જીલ્લામાં ઠેર ઠેર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ રહ્યા છે.ત્યારે શનિવારના રોજ ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી લઈ જ્યોતિનગર સુધીના મુખ્યમાર્ગને અડીને આવેલા લારી તેમજ નાની મોટી રેકડીઓ દ્વારા થતા દબાણોને ભરૂચ આર એન્ડ બી તેમજ પીડબ્લ્યુડીના સંયુક્ત પણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી લારી ગલ્લાઓના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જે ઝાડેશ્વર ચોકડીથી લઈ કસક સુધીના મુખ્ય માર્ગ પર દબાણ લારી-ગલાઓને દૂર કરવામાં આવ્યા હતા.
દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કેટલાક લોકોએ સ્વૈચ્છાએ પોતાના દબાણો દૂર કર્યા હતા.તો કેટલા દૂર નહીં થયા તંત્રએ જેસીબીની મદદથી દૂર કર્યા હતા.આ કામગીરીથી અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
રોડની સલામતી અને વાહન વ્યવહારના હિતમાં આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.જોકે તંત્ર દ્વારા અમુક દબાણો દૂર નહીં કરતા અનેક તર્કવિતર્ક પણ સર્જાયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is