best news portal development company in india

નેત્રંગમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્યથી ગ્રામજનો પરેશાન

SHARE:

– ગ્રામ પંચાયત તાત્કાલિક ધોરણે કામગીરી કરે તેવી માંગ

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ લાખો – કરોડો રૂપિયાના ખર્ચે ભૌગોલિક-માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થઈ હતી.નેત્રંગ ગામની આન-બાન અને શાનમાં વધારો થયો હતો.પરંતુ નેત્રંગના જાહેર રસ્તા ઉપર ફેંકાતા કચરાના કારણે હાલ પરીસ્થિતિ વધુ ગંભીર બની છે.જેમાં મુખ્યત્વે નેત્રંગ તાલુકા મથકના લાલમંટોડી અને સ્વામીનારાયણ મંદિરના વિસ્તારમાં નિત્યક્રમ ગમે તેમ કચરો ગ્રામ પંચાયતના સત્તાધીશોની નજરે સામે ઠલવાય રહ્યો છે.ઠેર-ઠેર કચરાના ઢગ અને ગંદકીના સામ્રાજ્યથી ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચુક્યા છે.ભારે દુર્ગંધના કારણે રોગચારો ફાટી નિકળવાની દહેશત જણાઈ રહી છે.દરરોજ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતાં હરીભક્તોમાં રોષ જણાઈ રહ્યો છે.નેત્રંગ ગ્રામ પંચાયતના સત્તાધીશો કચરોના નાખનાર સામે કડકહાથે કાર્યવાહી કરે જરૂરીયાત ઉભી થઈ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!