ભરૂચ,
ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રોજગાર અને તાલીમ નિયામકની કચેરી દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી-ભરૂચ તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરી- નર્મદાના સંયુક્ત ઉપક્રમે એક મેગા જોબ ફેરનું આયોજન તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકથી બપોરે ૩ દરમ્યાન જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે સાંસદ,ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાના અગ્રીમ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં ૩૫ થી વધુ કંપનીઓ જોડાશે જેમાં ૫૦૦ થી વધુ રોજગાર વાછુઓ ભાગ લેશે જેમાં વિવિધ સ્ટેજ પર તેઓના ઈન્ટરવ્યુ કરાશે ત્યાર બાદ તેઓને કંપનીમાં નોકરી પર રાખશે.







