best news portal development company in india

આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરી માંથી મુક્તિ આપવા મામલે ભરૂચમાં આવેદન

SHARE:

– યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નીરૂબેન આહિરની આગેવાનીમાં અપાયું આવેદન

ભરૂચ,

ભરૂચની આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરી માંથી મુક્તિ આપવા મામલે નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

ભરૂચમાં યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલ્પર વુમન યુનિયનના નેજા હેઠળ નીરૂબેન આહિરની આગેવાનીમાં આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલોની કામગીરી માંથી મુક્તિ આપવા આવે તે માટે શુક્રવારના રોજ આંગણવાડીની બહેનોને કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા મુજબ 0 થી 6 વર્ષના બાળકોના કૂપોષણ તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને આઈસીડીએસ વિભાગની કામગીરી ઉપરાંત વધારાની કામગીરી કરવી પડી રહી છે.તેમ છતાં આ બહેનો ચુટણીના દિવશે મતદાન મથકે તો કામ કરે છે.પરંતુ બીએલઓની કામગીરી લાંબા સેમી સુધી કરી શકે તેમ નથી.જેથી આંગણવાડી વર્કરો અને હેલ્પરોને ચૂંટણીની બીએલોની કામગીરી માંથી મુક્તિ આપવા આવે અને આ કામગીરી કેન્દ્ર તથા રાજ્ય સરકારના તેમજ જિલ્લા પંચાયતના હજારો સરકારી નોકરી ધરાવતા કે જેની પાસે વધુ કામગીરી નો બોજો નથી તેવા કર્મચારીઓ અથવા શિક્ષિત બેરોજગારોને સોપવામાં આવે અને આંગણવાડી વર્કરો અને હેલ્પરોને બીએલઓની કામગીરી માથી મુક્તિ આપવામાં આવે તે માટે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી.સ્થાનિક લેવલ રજુઆત કર્યા બાદ ૪ દિવસ પછી ગાંધીનગર ખાતે કમિશ્નર અને મહિલા બાળ વિભાગને પણ રજૂઆત કરવામાં આવનાર છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!