ભરૂચ પાલિકાની ચૂંટણીમાં મેન્ડેટ વિવાદ : પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના પોસ્ટર સળગાવ્યા

SHARE:

– હાય હાયના નારા લગાવી વિરોધ નોંધવતા રાજકીય ગરમાવો 

– ચૂંટણી પૂર્વે જ ઉભા થયેલ વિવાદ બેઠકો ગુમાવે તો નવાઈ નહીં

ભરૂચ,

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે.ખાસ કરીને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીમાં ઊભેલા વિવાદે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે.

વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ દ્વારા બે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા શરૂઆતથી જ ગૂંચવણ ઉભી થઈ હતી. પ્રથમ તબક્કામાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું હતું.પરંતુ બાદમાં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો.

આજરોજ ફોર્મ ચકાસણી દરમ્યાન ચૂંટણી અધિકારીઓએ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.

આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદને જાહેર કર્યો છે.ચૂંટણી પૂર્વે જ ઊભેલા આ વિવાદનો પક્ષના પ્રદર્શન પર શું પ્રભાવ પડશે તે હવે જોવાનું રહ્યું છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!