(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જેમણે 3 વર્ષ થી અન્ન નો એક પણ દાણો તેમને આરોગ્યો નથી અને જેઓ 3 વર્ષ થી માત્ર નર્મદા જળ પી ને જ રહે છે.એવા અવધુત દાદા ભગવાને તેમના અનુયાયીઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી અને જણાવ્યું હતું કે ભારત આવનારા સમયમાં વિશ્વ નું નેતૃત્વ કરશે અને આવનારા સમય માં ભારત દુનિયાને જીવવાની દિશા આપશે.
નર્મદા ઉતરવાહીની પરિક્રમા ની શરૂઆત ચૈત્ર સુદ એકમ થી થઈ ગઈ છે.આ પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂર થી આવી રહ્યા છે.મધ્યપ્રદેશ ના ભૈયાજી મહારાજ તરીકે ઓળખવામાં આવતા અવધુત દાદા ભગવાન એ આજે તિકલવાડા વાસુદેવ કુટિર થી તેમના અનુયાયીઓ સાથે પરિક્રમા ની શરૂઆત કરી હતી.અવધુત દાદા ભગવાનએ 3 વર્ષ થી માત્ર નર્મદા જળ પી ને જ રહે છે.3 વર્ષ થી અન્ન નો એક પણ દાણો તેમને આરોગ્યો નથી.તેમને એક વાર અમરકંટક થી નર્મદા પરિક્રમા કરી છે અને હાલ માં ચાલી રહેલી ઉતરવાહીની પરિક્રમા પણ કરી છે.અવધુત દાદા ભગવાન નું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે પણ અમારા માટે તો ભગવતી છે.આ નદી નહિ પણ દુનિયા માટે જીવન નો આધાર છે.લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું છે ભારત જ નહીં પણ દુનિયા માં મહાપરિવર્તનનો સમય છે.સમગ્ર વિશ્વની નજર ભારત પર છે અને ભારત ની સંસ્કૃતિ ને જોઈ રહી છે.આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવા ની દિશા આપશે.એક ધર્મ,એક ધારા અને એક પરિકલ્પના માં ભારત આવનારા સમય માં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા જઈ રહ્યું છે.ભારત આવનારા સમય માં વિશ્વ નું નેતૃત્વ કરશે.
અવધુત દાદા ભગવાને તેમના અનુયાયીઓ સાથે નર્મદા પરિક્રમા કરી
- ભારત આવનારા સમયમાં વિશ્વનું નેતૃત્વ કરશે : આવનારા સમયમાં ભારત દુનિયાને જીવવા ની દિશા આપશે - અવધુત દાદા ભગવાન 3 વર્ષ થી માત્ર નર્મદા જળ પી ને જ રહે છે : 3 વર્ષ થી અન્ન નો એક પણ દાણો તેમને આરોગ્યો નથી