best news portal development company in india

મહારાષ્ટ્રથી ભાગીને ભરૂચ આવેલી સગીરાને ગુજરાત રેલ્વે પોલીસની શી ટીમે પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો

SHARE:

ભરૂચ,
મહારાષ્ટ્રમાં રહેતી ૧૫ વર્ષીય સગીરાના માતા-પિતા તેણીના લગ્ન કરાવવા માંગતા હતા.પરતું સગીરાએ લગ્ન નહી કરવા હોય તેના ઘરેથી ભાગીને ભરૂચ ખાતે આવી પહોંચી હતી.ભરૂચ રેલવે પોલીસેની શી ટીમે તેને વિશ્વાસમાં લઈને તેના માતા- પિતા સાથે પુનઃ મિલાપ કરાવ્યો હતો.
ભરૂચ રેલ્વે પોલીસના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.રણાની સૂચના અને માર્ગદર્શન મુજબ તેમનો સ્ટાફ રેલ્વે સ્ટેશન પર રાત્રિના પેટ્રોલિંગમાં હતો તે સમય દરમ્યાન એક ૧૫ વર્ષીય બાળકી મળી આવી હતી.તેની સાથે કોઈ વાલી વારસો હાજર ન હોય તેને પોલીસ મથકે લાવી તેનુ કાઉન્સિલીંગ કરતા તેણીએ જણાવ્યું હતું કે તે મહારાષ્ટ્રના અક્કલકૂવા વિસ્તારમાં રહે છે.તેણીના માતા-પિતા લગ્ન કરાવવા માંગતા હોય અને તેની ઉંમર પણ નાની હોય જેથી તેને લગ્ન નહી કરવા હોય ત્યાંથી પરિવારને કહ્યા વગર ઘરેથી ભાગી આવી હતી.જેથી ભરૂચ રેલ્વે પોલીસની શી – ટીમ દ્વારા તેને વિશ્વાસમાં લઈને તેના માતા-પિતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કરીને ભરૂચ ખાતે બોલાવ્યા હતા.પોલીસે સગીરાના લગ્ન ૧૮ વર્ષની થયા ત્યાર બાદ કરવાની સમજણ આપી હતી. જેથી તેઓ માની જતાં બાળકી તેમની સાથે પુનઃ ઘરે જવા તૈયાર થઈ જતા પોલીસે તેનો કબ્જો તેના માતા-પિતા સોંપવામાં આવતા પરિવારમાં ખુશી જોવા મળી રહી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!