best news portal development company in india

નર્મદાના મોટા પીપરિયા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને દ્વારકા મુકામે કથાનું શ્રવણ કરવાનો પ્રવાસ કરાવ્યો

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

– ભાગવત સપ્તાહ અને શિવપુરાણ કથાનું શ્રવણ સાથે પ્રવાસનો આનંદ લૂંટતા વૃદધો

સામાન્ય રીતે વાયોવૃદ્ધ લોકો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય સ્વ ખર્ચે દૂર દુરનો પ્રવાસ કરી શકતા નથી કે પ્રવાસનો આનંદ માણી શકતા નથી ત્યારે નર્મદા જિલ્લામાં મોટા પીપરિયા ગામે વૃદ્ધાશ્રમ આવેલો છે. જ્યાં રહેતા વૃદ્ધોને  દર વર્ષે જુદી જુદી જગ્યાએ પ્રવાસ કરાવાય છે.આ વર્ષે કૃષ્ણ નગરી દ્વારકા મુકામે પ્રવાસ ગોઠાવ્યો હતો.જ્યાં વૃદધોએ ભાગવત સપ્તાહ અને શિવપુરાણ કથામાં જોડાઈ કથા નું શ્રવણનો લ્હાવો લીધો હતો.ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપલા સંચાલિત વૃદ્ધાશ્રમ મોટા પીપરીયાના વૃદ્ધો દ્વારકા મુકામે કથાનું શ્રવણ કરી રહ્યા છે કથાના આયોજક  માધાપર કચ્છના શ્રીમાન હરેશભાઈ પંડ્યા પરિવારના સહયોગથી કથાનું આયોજન કરેલ છે.સંસ્થાના ગૃહપતિ રાવલજી કમલેશસિંહ વર્ષ 2009 થી 2025 સુધી દર વર્ષે એક પ્રવાસનું આયોજન કરે છે તેમાં સંસ્થા તરફથી પણ સહયોગ મળે છે આમ ગૃહપતિ દ્વારા વૃદ્ધોને દર વર્ષે પ્રવાસનું આયોજન કરીને વૃદ્ધોને ખૂબ આનંદિત કરે છે.દ્વારકા મુકામે તારીખ 6.11.25 થી 14.11.25 સુધી કથાનું શ્રવણ કરી રહ્યા છે સવારે શિવપુરાણ કથા અને બપોર પછી ભાગવત કથા હું શ્રાવણ કરી રહ્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!