best news portal development company in india

૯૮ વર્ષ જૂની નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થતાં ગ્રાહકોને સુવિધાઓથી અવગત કરાયા

SHARE:

ભરૂચ,

આમોદ નગરમાં આવેલી ૯૮ વર્ષ જૂની નાગરિક કો.ઓ.બેંકનું ભુજ મર્કન્ટાઈલ કો.ઓ.બેંક સાથે વિલીનીકરણ કરાતા આજ રોજ ભુજ મર્કલટાઈન બેંક દ્વારા આમોદ નાગરિક બેંકના ગ્રાહકોને બેંકની વિશેષતાઓની જાણકારી આપવા માટે આમોદ જૈન બોડિંગ ખાતે ગત રોજ સાંજે ચાર કલાકે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.અને ભુજ મર્કન્ટાઈલ બેંકના ફાઉન્ડર ચેરમેનને શુભેરછાઓ આપી હતી.ભુજ મર્કલટાઈન બેંક સાથે વિલીનીકરણ થતાં નાગરિક બેંકના ખાતેદારો, વેપારીમિત્રો તેમજ નાગરિકોને ઉચ્ચ ગુણવતા સભર સવલતો મળી રહેશે.આ બાબતે બેંકના ફાઉન્ડર ચેરમેન મહેન્દ્ર મોરબીયાએ જણાવ્યું હતું કે બેંક દ્વારા પ્રગતિની એક હરણફાળ ભરવામાં આવી છે.આમોદ બેંકના વિલીનીકરણને રિઝર્વ બેંકની મંજૂરી મળી છે.ભુજ મર્કન્ટાઈલ બેંકના સિનિયર મેનેજર હિતેશ માણેકે જણાવ્યું હતું કે નાગરિક બેંકનું ભુજ મર્કન્ટાઈલ બેંકમાં વિલીનીકરણ થતાં બેંકના ગ્રાહકોને ટેક્નોલોજી સભર સુવિધાઓ મળશે.એટીએમ, ડેબિટ કાર્ડ કયું.આર.કોડ સાઉન્ડ બોક્સ, બ્રાઉઝર બેંકિંગ, મોબાઈલ બેન્કિંગ, વોટ્સ અપ બેન્કિંગ, એસએમએસ એલર્ટ જેવી સુવિધાઓ ફ્રીમાં આપવામાં આવશે.આ બાબતે બેંકના ચેરમેન કેતન પટેલે જણાવ્યું હતું કે રિઝર્વ બેંકના નિયમોને આધીન બેંક ભુજ મર્કન્ટાઈલ બેંક સાથે વિલીનીકરણ થઈ છે નાગરિક બેંકના ગ્રાહકોનું હિત સાચવવા માટે અને તેમને વધુ સારી સુવિધાઓ આપવા માટે બેંકનું વિલીનીકરણ કરાયું છે.કોઈએ ખોટી અફવામાં આવવું નહીં.આ બાબતે બેંકના મેનેજર ભીખુભાઈ દરજીએ જણાવ્યું હતું કે બેંકના ગ્રાહકોને તેમજ ડિપોઝિટરોને ઉચ્ચ ગુણવત્તાનું વ્યાજ મળશે.એક વ્યક્તિને આઠ કરોડ સુધીની લૉન બેંક આપી શકશે તેમજ બેંકના કામકાજનો સમય સવારે ૧૦ થી સાંજે ૫:૩૦ સુધી બેંકમાં કેસની લેવડદેવડ કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!