ભરૂચ,
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ પર એક દુઃખદ ઘટના સામે આવી છે.ખરોડ ચોકડી નજીક આજે વહેલી સવારે એક અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે જઈ રહેલા મોપેડ સવાર યુવકોને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ૧૮ વર્ષીય હર્ષ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે તેની સાથેના ૧૯ વર્ષીય ધ્રુમિલ વસાવાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર પહેલાં જ તેનું પણ દુઃખદ અવસાન થયું.
અકસ્માતના સમાચાર મળતા જ પાનોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.મૃતક બંને યુવાનો અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના રહેવાસી હતા અને કોલેજે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા.
ઉલ્લેખનીય છે કે ખરોડ ચોકડી પાસે હાલમાં ઓવરબ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે અને વાહનો માટે એકમાત્ર નિમિષારૂપ માર્ગ ખુલ્લો રહેતા અકસ્માતનો જોખમ વધી રહ્યું છે.બે યુવાનના અકાળે મોતથી દઢાલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર વિસ્તાર દુઃખમાં ગરકાવ થયો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is