(જયશીલ પટેલ,ઝઘડિયા)
૧૫ ગામ માછી સમાજનું ગૌરવ એવા ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉચેડીયા ગામના રહેવાસી પ્રો.મહેશભાઈના પુત્ર હર્ષિલે ૨૦૧૮ માં NEET ની પરીક્ષા આપી હતી.જેમાં મેરિટમાં આવ્યો હતો,ત્યાર બાદ વડોદરા ગવર્નમેન્ટ કોલેજમાં એમબીબીએસ માં એડમિશન મેળવ્યું હતું અને ફર્સ્ટ કલાસ સાથે એમબીબીએસ પાસ કર્યું અને તેમને વડોદરામાં એમબીબીએસની ડિગ્રી આપવામાં આવી હતી.હાલમાં હર્ષિલ વડોદરા સિવિલ હોસ્પિટલમાં ઈન્ટેન્સિપ કરી રહ્યો છે.હર્ષિલે ઝઘડિયા તાલુકા સહિત ગામનું અને ૧૫ ગામ માછી સમાજનું ગૌરવ વધાર્યું તેથી સમાજ તેમને અભિનંદન પાઠવ્યા છે અને વડીલોએ તે ખુબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.