best news portal development company in india

ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે બેઠક યોજાઈ

SHARE:

– ધો.૧૦ ના ૨૨૫૮૩, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ) ના ૮૧૫૪ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૩૦૪૮ મળી કુલ ૩૩૭૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે
ભરૂચ,


તા.૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના
અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી વી.સી રૂમ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, એસ.ટી બસની વ્યવસ્થા, વીજળી,પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.તો બીજી બાજુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચે તે માટે જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે રીક્ષા એસોસિએશનના સભ્યોને મદદરૂપ થવા સાથે અપીલ કરવામાં આવતા રીક્ષા એસોસિએશનના સભ્યોએ પણ મદદ રૂપ થવાની બાંહેધરી આપી હતી.
જીલ્લા પરીક્ષા સમિતિના સભ્ય સચિવ અને જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કરાયેલા સુવ્યવસ્થિત આયોજનની વિગતો આપતા જણાવ્યું કે બોર્ડની પરીક્ષા લેવા માટે તંત્ર દ્વારા ફૂલપ્રૂફ આયોજન છે.પરીક્ષામાં ૧૮૬ જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, પ કલેકટર કચેરી સ્ટાફ, ૭૩૪ પોલીસ સ્ટાફ, ૧૩૧ ઓબ્ઝરવર, ૧૫૨ સરકારી પ્રતિનિધિ, ૨૨૬૯ પરીક્ષા કેન્દ્રનો સ્ટાફ મળી કુલ ૩૪૭૭ સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોતરાશે.જીલ્લા શિક્ષણાધિકારી કચેરી હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ પરીક્ષા શરૂ થયા તારીખથી પરીક્ષા પૂર્ણ થયા તારીખ સુધી સવારે ૭ કલાકથી રાત્રીના ૮ કલાક દરમ્યાન કંટ્રોલરૂમનો ટેલીફોન નંબર ૦૨૬૪૨- ૨૪૦૪૨૪ કાર્યરત રહેશે.નોંધનીય છે કે ભરૂચ જીલ્લામાં ધો.૧૦ ના ૨૨૫૮૩, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૮૧૫૪ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૩૦૪૮ મળી કુલ ૩૩૭૮૫ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.એસ.એસ.સીમાં કુલ ૩૨ પરીક્ષા કેન્દ્રો, ૮૪ બિલ્ડીંગો, ૮૦૯ બ્લોકમાં પરીક્ષા યોજાશે.HSC સામાન્ય પ્રવાહમાં ૧૨ કેન્દ્રો, ૩૦ બિલ્ડીંગો, ૨૬૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે તેજ રીતે HSC વિજ્ઞાન પ્રવાહમાં ૦૪ કેન્દ્રો,૧૭ બિલ્ડીંગો, ૧૫૪ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે.SSC પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦ થી ૧.૧૫ અને HSC નો સમય બપોરે ૩.૦૦ થી ૬.૧૫ રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્થાનિક સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની અધ્યક્ષતા અને રાજય કક્ષાનામંત્રી પ્રફુલ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓ
શરૂ થનાર છે.સમગ્ર રાજ્યમાં મુક્ત,ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાઈ તે માટે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે થયેલ તૈયારીની રૂપરેખા,કેન્દ્રોની સંખ્યા,બ્લોક વ્યવસ્થા,તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સીસીટીવી વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.આ સાથે જીલ્લાકક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શરૂ રહે તે માટેનું આયોજન,રૂટ પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા,પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને જરૂર પડયેથી ફર્સ્ટ એઈડરી વ્યવસ્થા કરવા,ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહન વ્યવહારની સગવડ કરવા વગેરે બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસવડા મયુર ચાવડા,નિવાસી અધિક કલેકટર એન.આર.ધાધલ,જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઓલ,જીલ્લા આરોગ્ય અધિકારી ડો.દુલેરા,શિક્ષણ નિરીક્ષક ભારત સલાટ,દિવ્યેશ પરમાર,પ્રદિપ પટેલ,શાળા સંચાલકના મંડળ તેમજ આચાર્ય સંધના હોદ્દેદારો,વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તો બીજી બાજુ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચે તે માટે જીલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલે રીક્ષા એસોસિએશનના સભ્યોને મદદરૂપ થવા સાથે અપીલ કરવામાં આવતા રીક્ષા એસોસિએશનના સભ્યોએ પણ મદદ રૂપ થવાની બાંહેધરી આપી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!