ભરૂચ,
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય અને જીલ્લા પંચાયતના સભ્યના હસ્તે ૧.૦૭ કરોડના ખર્ચે થનારા ૨૪ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ વિધિ યોજાઈ હતી.જેમાં પંચાયતના સરપંચ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા નંદેલાવ વિસ્તાર હાલમાં ઘણાં જ વિકાસના કામો થઈ રહ્યો છે.ત્યારે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જીલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના હસ્તે નંદેલાવ ગ્રામ પંચાયતના વિવિધ ગ્રાન્ટો માંથી રૂ.૧.૦૭ કરોડના ખર્ચે ૨૪ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.જેમાં પ્રથમ બુસા સોસાયટીના ૭ લાખના ખર્ચે બનેલો મુખ્ય માર્ગનું લોકાર્પણ વિધિ યોજાતા રીબીન કાપી શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું.જ્યારે આલ્ફા સોસાયટીમાં પેવર બ્લોક અને સીસીટીવી કેમેરાના મળીને કુલ ૪ લાખના કામોના ખાતમુર્હુત મહાનુભાવોના હસ્તે કરાયુ હતું.
આ પ્રસંગે નંદેલાવ તાલુકા પંચાયતના સભ્ય જયશ્રીબેન વાછાણી,ગામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ સહિતના પંચાયતના સભ્યો,ભાજપના કાર્યકરો અને સ્થાનિક રહીશોની ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is