google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, May 18, 2024
HomeGujaratજંબુસરના ઉચ્છદ ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

જંબુસરના ઉચ્છદ ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ માતા, બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અને માં હરસિધ્ધિની આરતી ઉતારી હતી.આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલ વાહિયાત ટીપણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળે છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.પરંતુ તે રદ્દ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરૂ દેખાઈ રહ્યો છે.ભાજપાનો ઠેરે – ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.ત્યારે આજ રોજ ધર્મરથ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.માતા બહેનો,અગ્રણીઓ દ્વારામાં હરસિધ્ધિ માતાજીની આરતી ઉતારી હતી.ધર્મ રથમાં વિરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર,પરિમલસિંહ રણા,કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર,મયુર સિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી વિરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે ૨૨ કરોડ છીએ જે ભાજપે આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે.ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.આ આપણી અસ્મિતા નો પ્રશ્ન છે.આ નાનકડા છોડને ખાતર,પાણી આપી આપણે વટ વૃક્ષ બનાવ્યું આ વટ વૃક્ષ આપણને છાંયડો ન આપતો હોય તો આ વટ વૃક્ષ ને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે અને આ સાબિત કરવાનું યુદ્ધ છે.આપણે બધા એક થઈ આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે.તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ,તાલુકા અગ્રણીઓ,આજુબાજુ ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!