google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, May 7, 2024
HomeGujaratગોધરા કોંગ્રેસનો સાથ છોડનારા દુષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦થી વધુ હોદ્દેદારો અમિત શાહની...

ગોધરા કોંગ્રેસનો સાથ છોડનારા દુષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦થી વધુ હોદ્દેદારો અમિત શાહની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાશે

(ગણપત મકવાણા,પંચમહાલ)
લોકસભાની ચૂંટણી પહેલા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડયું હતું.જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત ૭૦જેટલા કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કીધુ હતું.ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો એન્ડ કાર્યકરો આવતીકાલે કેસરિયા કરશે,આગામી લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે ભાજપના સ્ટાર પ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલ ગ્રાઉન્ડ ખાતે પોતાની જાહેર સભાને સંબોધન કરનાર છે.પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચુંટણી પ્રચાર અર્થે આવતીકાલે અમિત શાહ ગોધરા ખાતે આવી રહ્યા છે.દુષ્યંતસિહે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું હતું.શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સામે વિધાનસભાની ચુંટણી લડ્યા હતા.મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને દૂષ્યંતસિંહ ચૌહાણ મળ્યા હતા. કાર્યકરો અને વિવિધ હોદેદારો,મહિલા હોદ્દેદારો,શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!