google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, May 7, 2024
HomeGujaratનર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ

નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે નો વિરોધ વધતો જઈ રહ્યો છે.રાજકોટ લોકસભાની બેઠક પર ચૂંટણી લડી રહેલા રૂપાલા ની ટિકિટ પાછી ના ખેંચાતા ક્ષત્રિય સમાજનો રોષ વધ્યો છે. જેના પડઘા નર્મદા જિલ્લામાં પડયા હતા.આજે નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના ભાજપાના આગેવાનોએ રાજીનામાં ધરી દેતા હડકંપ મચી જવા પામ્યો છે.
ગોપાલપૂરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરૂધ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવીહતી.જેમાં મિટિંગમાં ભાજપાના વિવિધ હોદ્દેદારોએ તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ્દ નહીં કર્યા ના વિરોધમાં રાજીનામાં આપ્યા હતા.આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોએ આ હોદ્દેદારોના પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય અને રાજપૂત સમાજ એમની પડખે રહેશે એવી ખાત્રી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!