google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, May 19, 2024
HomeGujaratભરૂચના ૮૨ વર્ષીય તુલસીસિંગ પરમાર લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા

ભરૂચના ૮૨ વર્ષીય તુલસીસિંગ પરમાર લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા

- દરેક નાગરિક લોકશાહીને મજબૂત બનાવવા મતાધિકારનો ઉપયોગ કરે : તુલસીસિંગ પરમાર

ભરૂચ,
ભરૂચમાં રહેતા ૮૨ વર્ષીય તુલસીસિંગ પરમારે શ્રવણ વિદ્યાધામ ખાતે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી.
શહેરના નારાયણ સોસાયટીમાં રહેતા તુલસીસિંગ પરમાર કહે છે કે, ધણાં વર્ષોથી મને પગે ચાલવાની તકલીફ છે.આ વોકરના આધારે ચાલુ છું. તેમછતાં મત આપવાનું અમે કદી ચૂંકતા નથી. અમારો પરિવારે દરેક ચૂંટણીમાં ઉત્સાહભેર ભાગ લીધો છે.ક્યારેય મતદાન કરવાનું ચૂક્યા નથી.ત્યારે તેમણે જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં આપણે સૌએ ઉત્સાહભેર ભાગ લઈ આપણી નૈતિક ફરજ નિભાવીએ એ જરૂરી છે.
તેમણે મતદાન કરવા માટે જરૂરી તમામ સુવિધાથી અભિભૂત થઈ પોલીંગ સ્ટાફની કામગીરી,ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને આપવામાં આવેલ સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!