(સંજય પટેલ,જંબુસર)
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માં નાગરિકોની ભાગીદારીતા વધે અને મહત્તમ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ ચાલી રહી છે.મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જંબુસર પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલ,મામલતદાર વિનોદભાઈ પરમાર,નાયબ મામલતદાર દર્શનાબેન તેમજ સંઘના સભ્ય અને સ્થાનિક પત્રકાર સંજય પટેલ દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.જે અંતર્ગત સ્મૃતિદિન સભામાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તથા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મામલતદાર તથા નાયબ મામલતદાર ઉપસ્થિત રહી હરીપ્રબોધમ પરિવારને તથા યુવા મતદારો જેવો પ્રથમ વખત મતદાન કરનાર હોય તેઓને મતદાન પ્રક્રિયાનું માર્ગદર્શન આપી તેનો મત કેટલો મુલ્યવાન છે.તેવી સમજ આપી મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા