(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરુચ લોકસભાની ચૂંટણીમાં આજે 13 જેટલા ઉમેદવારો પોતાના મતદાન મથક ઉપર મતઆપ્યા.જયારે છોટાઉદેપુર લોકસભાં નાં 6ઉમેદવાર માટે આજે મતદાન થયું હતું .ત્યારે સાંસદ મનસુખ વસાવા તેઓ ભરૂચ લોકસભાંનાં ઉમેદવાર હોવા છતાં પોતાને મત નહીં આપી શકતા તેમનું નામ રાજપીપલા ખાતે મતદાર યાદીમાં નામ હોવાથી આજેતેમણે છોટાઉદેપુરની બેઠક ઉપરના ઉમેદવારને રાજપીપલાની મહારાજા રાજેન્દ્રસિંહ શાળામાં મતદાન કર્યું હતું.જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા ડેડીયાપાડા તાલુકાના બોગેજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.બોગજ ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં મતદાન પોતાની બન્ને પત્ની વર્ષાબેન અને શકુંતલા બેન સાથે મતદાન કર્યું હતું.જયારે નાંદોદનાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે રાજપીપલા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.દર્શનાબેન દેશમુખ એ કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકો એ વધુ માં વધુ મતદાન કરવું જોઈએ જે લોકોને મતદાન નો હક્ક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ.તેમણે જણાવ્યું હતું પોઇચા ગામે સવારે 7થી 9બે કલાક માં 40% મતદાન થયું હતું. સાંજ સુધીમાં 80%થી વધુ મતદાન થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સાંસદ મનસુખ વસાવે જણાવ્યું હતું કે આજે મેં મારા વતન રાજપીપળા ખાતે મતદાન કર્યું છે.મતદાન કરવું એ દરેક નગરીક ની ફરજ છે.રાષ્ટ્રનાં વિકાસ માટે મતદાન કરવું જોઈએ.તેમણે ભારતીય જનતા પાર્ટીના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી જણાવ્યું હતું ભરૂચ લોકસભા બેઠક ભાજપા જીતશે કારણ કે ભાજપે પ્રજા નાં વિકાસ નાં ઘણા કામો કર્યા છે.એમ જણાવ્યું હતું.
નર્મદામાં આજે હિટવેવની આગાહી હોવાથી ગરમીનો પારો સતત વધતો જોઈ લોકો સવારથી જ ગરમીથી બચવા લાંબી કતારો માં સવારે મતદાન માટે ઘરો માંથી નીકળ્યા હતા.આજે સવારે 7 થી 11 સુધી મતદાન નાંદોદ માં 32.87% અને ડેડીયાપાડા માં 34.53%મતદાન થયું હતું.નર્મદા જિલ્લા 7થી 11માંનું સરેરાશ 30 ટકા મતદાનનોંધાયું હતું.
ભરુચનાં સાંસદ મનસુખ વસાવા અને ઈન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવાએ મતદાન કર્યું
- નાંદોદનાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે રાજપીપલા ખાતે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું